Friday, 29 April 2016

Eleven Magical Foods For Healthy, Fair And Glowing Skin

રોજ આ 11માંથી કોઈ 1 વસ્તુ ખાઓ, ચહેરો ઝડપથી બનશે રૂપાળો અને હેલ્ધી






















Read More »

Saturday, 23 April 2016

Gujarati Sahityakaro Ane temni odakh (ગુજરાતી સાહિત્યકારો અને તેમની ઓળખ ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT

Gujarati Sahityakaro Ane temni odakh (ગુજરાતી સાહિત્યકારો અને તેમની ઓળખ  )

1.        અખો - જ્ઞાનનો વડલો, છપ્પાકાર, હસતો ફિલસૂફ
2.        અનંતરાય રાવળ - સમતોલ વિચારક (સ્વસ્થ)
3.        આનંદશંકર ધ્રૂવ - મધુદર્શી સમન્વયકાર, ધર્મચિંતક, પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
4.         ઇશ્વર પેટલીકર - ગ્રામજીવન આલેખક,
5.        ઉમાશંકર જોશી - વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા
6.        એલેકઝાન્ડર ફાર્બસ - ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી
7.        કનૈયાલાલ માણેકલાલ મુનશી - ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા, સ્વપ્નદષ્ટા
8.        કાકાસાહેબ કાલેલકર - જીવનધર્મી સાહિત્યકાર, સવાઇ ગુજરાતી, ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી
9.        કિશોરલાલ મશરૂવાળા - શ્રેયાર્થી સાહિત્યકાર
10.       ગિજુભાઇ બધેકા - બાળ સાહિત્યના સર્જક, બાળકો માટે મૂછાળી મા
11.       ગુણવંતરાય આચાર્ય - સાગરજીવનના આલેખક
12.       ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષરસત્તમ, સાક્ષરવર્ય, પંડિત યુગના કવિ
13.       ગૌરીશંકર જોષી - ધૂમકેતુ, ટૂંકી વાર્તાના કસબી
14.       ચંદ્રકાંત બક્ષી - બંડખોર સર્જક
15.       ચુનીલાલ મડિયા - ગ્રામજીવનના સમર્થ
16.       જ્યંતિ દલાલ - સમાજસેવક, સાહિત્યકાર
17.       જ્યોતીન્દ્ર દવે - પ્રથમપંક્તિના હાસ્યલેખક, હાસ્યસમ્રાટ, વિદ્દ્રત્તા અને હાસ્યનો વિનિયોગ
18.       ઝવેરચંદ મેઘાણી - રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોક સાહિત્યનો મત્ત મોરલો
19.       ઝીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્મિ) - હાઇકુના પ્રણેતા, જીવન માંગલ્યના ઉદગાતા
20.       દયારામ - ગરબીઓના પ્રખ્યાત કવિ, ભકતકવિ, શ્રૃંગારી રસિક કવિ, બંસીબોલનો કવિ, રસીલો રંગીલો ફક્ક્ડ કવિ
21.       દલપતરામ - સભારંજના કવિ, લોકહિતચિંતક કવિ, ગુજરાતી વાણી રાણીના કવિ
22.       દામોદર ખુસાલદાસ બોટાદકર - કુટુંબ કવિ, ગૃહગાયક કવિ, સૌંદર્યદર્શી કવિ
23.       નટવરલાલ પંડયા (ઉશનસ) - ઉદગારના નીવડેલ કવિ, બલિષ્ઠ ભાવ  
24.       નરસિંહ મહેતા - આદિ કવિ, ભક્ત કવિ
25.       નરસિંહ મીરાં - ખરાં ઇલ્મી ખરાં શૂરાં
26.       નરસિંહરાવ દિવેટિયા - અર્વાચીન ગુજરાતી કવિતાના ક્ણ્વ, સાહિત્ય દિવાકર
27.       નર્મદ - યુગવિધાયકના સર્જક, સુધારનો અરૂણ, યુગંધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, નિર્ભય પત્રકાર, સુધારનો અરૂણ
28.       નવલરામ પંડયા - આરૂઢ વિવેચક
29.       નિરંજન ભગત - ઇબારતથી અભિવ્યક્તિ સુધીની સંસિદ્દિના કવિ
30.       ન્હાનાલાલ - ઊર્મીકવિ, કવિવર, શ્રેષ્ઠરસ કવિ, ડોલનશૈલીના કવિ, તેજે ઘડેલા શબ્દોના સર્જક, પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ
31.       પંડિત સુખલાલજી - પ્રકાંડ પંડિત, પ્રજ્ઞાચક્ષ
32.       પન્નાલાલ પટેલ - જાનપદી નવલકથા સર્જક, ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પ્રમ વિસ્મય
33.       પ્રહલાદ પારેખ - સૌંદર્યભિમુખકવિ, રંગ અને ગંધના કવિ, બારી બહારના કવિ
34.       પ્રિયકાંત મણિયાર - રૉમેન્ટિક મિજાજના કવિ
35.       પ્રેમાનંદ - મહાકવિ, આખ્યાન શિરોમણિ
36.       બળવંતરાય ઠાકોર - આધુનિક કવિતાના જ્યોતિર્ધર, બરછટ વ્યક્તિત્વમા સુમધુર ભાવોન્મેય, અગેય અગેય પ્રવાહી પદ્યના સર્જક
37.       બાલાશંકર કંથારિયા - ગુજરાતી ગઝલના પિતા
38.       ભાલણ - ગુજરાતી આખ્યાનના પિતા
39.       મણિલાલ નભુભાઇ દ્રિવેદી - બ્રહ્મનિષ્ઠ, અભેદ માર્ગના પ્રવાસી
40.       મણિશંકર રત્નજી ભટ્ટ - ઉત્તમ ખંડકાવ્યના સર્જક, મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક  
41.       મનુભાઇ પંચોળી - ઊંડી ઇતિહાસ દ્ર્ષ્ટિવાળા
42.       મીરાંબાઇ - જનમ જનમની દાસી, પ્રેમદીવાની
43.       રઘુવીર ચૌધરી - જીવનલક્ષી સર્જક
44.       રણછોડભાઇ ઉદયરામ દવે - ગુજરાતી નાટકના પિતા
45.       રણજિતરામ વાવાભાઇ મહેતા - ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક
46.       રમણભાઇ નીલકંઠ - હાસ્યકાર
47.       રમણલાલ વી. દેસાઇ - યુગમૂર્તિ વાર્તાકાર
48.       રસિકલાલ પરીખ - રોમે રોમ વિદ્યાના જીવ
49.       રાજેન્દ્ર શાહ - ઉત્તમ ગીતકવિ, કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા
50.       રાજેન્દ્ર શુકલ - અલગારી મસ્તક કવિ
51.       રામનારાયણ વી. પાઠક - મંગલમૂર્તિ, મધુર વ્યક્તિત્વ
52.       રાવજી પટેલ - દર્દ અને અશ્રુના પ્રયોગશીલ
53.       લાભશંકર ઠાકર - પ્રયોગશીલતાનું તદ્દન નવું પરિણામ પ્રગટાવનાર
54.       શામળ - પદ્ય વાર્તાકાર
55.       શ્રીમદ રાજચંદ્ર - સાક્ષાત સરસ્વતી,શતાવધાની,
56.       સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી) - પ્રેમ અને આંસુના કવિ (અશ્રુ કવિ), દર્દીલી મધુરપના ગાયક, સુરતાની વાડીનો મીઠો મોરલો
57.       સુરેશ જોશી - પૂર્ણતયા આધુનિકતાના હિમાયતી
58.       સ્વામી આનંદ - પ્રબુદ્ધ, અનાસક્ત અને અપરિગ્રહ
59.       હેમચંદ્રાચાર્ય - કલિકાલસર્વજ્ઞ

Downloads PDF : Click Here
Read More »

Gujarati Shahitya Sansthaao (ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT

Gujarati Shahitya Sansthaao Revenue  (ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ)

1.  ગુજરાતી સાહિત્ય પરિષદ - સ્થાપના ૧૯૦૫, 'પરબ' નામનું માસિક અને 'ભાષાવિમર્શ' નામનું ત્રિમાસિક પ્રકાશિત કરે છે.  આ પરિષદનું પ્રથમ અધિવેશન ગોવર્ધનરામ ત્રિપાઠીની અધ્યક્ષતામાં ભરાયું હતું.

2.  ગુજરાતી સાહિત્ય સભા - સ્થાપના ૧૯૦૪ માં રણજિતરામ વાવાભાઇ મહેતાએ  અમદાવાદમાં કરી હતી. આ સંસ્થા ૧૯૨૮ના રજત જયંતી વર્ષ થી 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપે છે પ્રથમ ઝવેરચંદ મેઘાણીને અપાયો હતો

3.  ગુજરાત વર્નાક્યુલર સોસાયટી - ની સ્થાપના ૨૬ ડિસે. ૧૮૪૮માં એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા અમદાવાદમાં સ્થાપવામાં આવી હતી. સૌથી જૂની સંસ્થા  પાછળથી આ સંસ્થા 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઇ.  આ સંસ્થા સૌપ્રથમ 'વરતમાન' અઠવાડિક પ્રસિદ્ધ કર્યું. ત્યારબાદ પખવાડિક 'બુદ્ધિપ્રકાશ' શરૂ કર્યું અને  આજે બુદ્ધિપ્રકાશ' માસિક પ્રકાશિત કરે છે.
 
4.  નર્મદ સાહિત્ય સભા - આ સંસ્થા ૧૯૨૩માં "ગુજરાતી સાહિત્ય મંડળ" નામે સુરતમાં સ્થપાઇ હતી. શરૂઆતમાં આ સંસ્થા 'ગુજરાતી સાહિત્ય મંડળ' તરીકે ઓળખાતી હતી.  ત્યારબાદ ૧૯૩૯માં તેનું નામ કવિ નર્મદનું નામ સંકળાતા 'નર્મદ સાહિત્ય સભા' કરવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર પાંચ વર્ષે "નર્મદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.

5.  પ્રેમાનંદ સાહિત્ય સભા - "વડોદરા સાહિત્ય સભા" ની સ્થાપના ૧૯૧૬માં વડોદરા કરવામાં આવી હતી.  આ સંસ્થાએ ૧૯૪૪ માં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' નામ ધારણ કર્યું. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર બે વર્ષે "પ્રેમાનંદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.

6.  ભારતીય વિદ્યાભવન - ની સ્થાપના કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમાં કરીએ હતી
  

7  ફાર્બસ ગુજરાતી સભા - ની સ્થાપના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી ૧૮૫૪માં કવિ ફાર્બસની સ્મૃતિમાં કરવામાં આવી હતી. આ સંસ્થા ૧૯૩૨ થી પોતાનું મુખપત્ર 'ફાર્બસ ગુજરાતે સભા' ત્રિમાસિક આજે પણ પ્રકાશિત કરે છે

8. ગુજરાત સાહિત્ય અકાદમી - સ્થાપના ૧૯૮૨મા થઇ હતી.  આ સંસ્થા વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી કૃતિઓનું મૂલ્યાંકન કરી સારી કૃતિને (લેખકને) 'ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર' આપે છે. આ સંસ્થા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે.  આ સંસ્થાનું મુખપત્ર 'શબ્દસૃષ્ટિ' નિયમિત રીતે પ્રકાશિત થાય છે.

9.  સાહિત્ય સંસદ - ની સ્થાપન કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમા કરી હતી

10.  બુદ્ધિવર્ધક સભા - સ્થાપના ૧૮૫૧ માં નર્મદ અને તેના મિત્રોએ કરી હતી

11.  ગુજરાત સંશોધન મંડળ - ની સ્થાપના પોપટલાલ શાહે મુંબઇમાં કરી હતી

12.  કવિતાભવન - આ સંસ્થા ૧૯૮૧ થી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દ્વારા કાર્યરત છે.

13.  જ્ઞાન પ્રસારક સભા - આ સંસ્થા ઍલ્ફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પૅટન તથા દાદાભાઇ નવરોજી અને અન્ય યુવાનો દ્વારા સ્થાપવામાં આવે હતી

14. ક.લા.સ્વાધ્યાય મંદિર - આ સંસ્થાની સ્થાપના શેઠ કસ્તુરભાઇ લાલભાઇની સ્મૃતિમાં ઇ.સ. ૧૯૮૧માં સ્થાપવામાં આવી હતી


Downloads PDF : Click Here

Read More »

Guajarati Sahitykaro Ane Temana Upanaam (ગુજરાતી સાહિત્યકારો અને તેમના ઉપનામ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT

Guajarati Sahitykaro Ane Temana Upanaam (ગુજરાતી સાહિત્યકારો અને તેમના ઉપનામ)

1.         કલાન્ત, બાલ, મસ્ત - બાલશંકર કંથારિયા
2.         કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
3.         કલ્પિત - મધુકાંત શ. વાઘેલા
4.         કલ્યાણયાત્રી, યાત્રિક - નટુભાઇ ઠક્કર
5.         કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
6.         કાઠિયાવાડી, વિદુર - કે. કા. શાસ્ત્રી
7.         કાન્ત - મણિશંકર ર. ભટ્ટ
8.         કાવ્યતીર્થ - મનુ હ. દવે
9.         કિસ્મત કુરેશી - ઉમરભાઇ ચાંદભાઇ કુરેશી
10.       કુમાર - મહેન્દ્રકુમાર મો. દેસાઇ
11.       કુસુમાકર - શંભુપ્રસાદ જોષીપુર
12.       કુસુમેશ - મુકુન્દ પી. શાહ
13.       કૃષ્ણ દ્રૈપાયન - મોહનભાઇ શંકરભાઇ પટેલ
14.       ખલીલ ધનતેજવી - ખલીલ ઇસ્માઇલ મકરાણી
15.       ગોળમટોળ શર્મા - કંચનલાલ ડી, શર્મા
16.       જ્ઞાનબાલ - નરસિંહરાવ દિવેટીયા
17.       પૂજય મોટા - ચુનીલાલ આશારામ ભગત  
18.       પ્રેમસખી - પ્રેમાનંદ સ્વામી
19.       મહારાજ - રવિશંકર શિ. વ્યાસ
20.       મહિયુદ્દીન મન્સૂરી, સુમન યશરાજ - ગુલામ મહીયુદ્દીન રસુલભાઇ મન્સૂરી
21.       માય ડિયર જયુ - જયંતીલાલ રતિલાલ ગોહિલ
22.       મિસ્કીન - રાજેશ જયશંકર વ્યાસ
23.       મીનપિયાસી - દિનકરરાય કેશવલાલ વૈદ્ય
24.       મૂછાળી મા - ગિજુભાઇ બધેકા
25.       મૂસિકર - રસિકલાલ સી. પરીખ
26.       રતિલાલ અનિલ - રતિલાલ મૂળચંદ રૂપાવાળા
27.       રસમંજન - રમેશ ચાંપાનેરી
28.       રાજહંસ - પ્રહલાદસિંહજી જે. ગોહિલ
29.       રામ વૃંદાવની - રાજેન્દ્ર કેશવલાલ શાહ
30.       રાવણદેવ - મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ
31.       રૂસ્વા મઝલૂમી - ઇમામુદ્દીન ખાન મુર્તઝાખાન બાબી
32.       લલિત - જન્મશંકર મહાશંકર બૂચ
33.       શંકર - ઇચ્છારામ એસ. દેસાઇ
34.       શિલ્પિન થાનકી - લિલકકુમાર પુરષોત્તમ થાનકી
35.       શિવમ સુદરમ - હિંમતલાલ એમ. પટેલ    
36.       શૂન્ય, પાલનપુરી - અલીખાન ઉસ્માનખાન બલૂચ
37.       શેખાદમ - શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા
38.       શોભન - શોભન રાવજીભાઇ વસાણી
39.       શૌનક - અનંતરાય રાવળ
40.       શ્યામસુંદર યાદવ - બચુભાઇ રાવત
41.       સત્યાલંકાર - કનૈયાલાલ એ. ભોજક
42.       સવ્યસાચી - ધીરૂભાઇ પ્રે. ઠાકર
43.       સૈફ પાલનપુરી - સૈફુદ્દીન ખારાવાલા
44.       સૉલિડ મહેતા - હરીશકુમાર પુરષોત્તમભાઇ મહેતા
45.       સૌજન્ય - પીતાંબર પટેલ
46.       સ્નેહરશ્મિ - ઝીણાભાઇ રતનજી દેસાઇ
47.       સ્નેહી - અંબુભાઇ ડી. પટેલ
48.       સ્વપ્નસ્થ - લક્ષ્મીનારાયણ આર. વ્યાસ
49.       સ્વામી આનંદ - હિંમતલાલ રામચંદ્ર દવે
50.       હરીશ વટાવવાળા - હરિશ્ચંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ



Downloads PDF : 

Read More »

Gujarati Sahitya Ni Pratham Kruti (ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT

               Gujarati Sahitya Ni Pratham Kruti (ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ)


1.   પ્રથમ નિબંધ - 'મંડળી મળવાથી થતાં લાભ' લેખક- નર્મદ
2.   પ્રથમ જીવનચરિત્ર - 'કોલંબસનો વૃતાંત' લેખક- પ્રાણલાલ મથુરદાસ
3.   પ્રથમ આત્મકથા - 'મારી હકીકત' .લેખક-નર્મદ
4.   પ્રથમ શબ્દકોષ - 'નર્મકોષ' લેખક- નર્મદ
5.   પ્રથમ આખ્યાન - 'સુદામાચરિત્ર' કવિ- નરસિંહ મહેતા
6.   પ્રથમ પ્રવાસગ્રંથ - 'ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન' લેખક- મહિપતરામ નીલકંઠ
7    પ્રથમ પ્રબંધ - 'કાન્હડદે પ્રબંધ' લેખક- પહ્મનાભ (૧૪૫૬)
8    પ્રથમ હાર્મોનિક - લેખક- મધુરાય
9    પ્રથમ રાસ - 'ભરતેશ્વર બાહુબલિરાસ' કવિ- શાલિભદ્રસૂરિ (૧૧૮૫)
10   પ્રથમ મહાનવલ - 'સરસ્વતીચંદ્ર' લેખક- ગોવર્ધનરામ ત્રિપાઠી
11.   પ્રથમ સામાજિક નવલકથા - 'સાસુવહુની લડાઇ' લેખક- મહિપતરામ નીલકંઠ
12   પ્રથમ જાનપદી નવલકથા - 'સોરઠ તારા વહેતા પાણી' લેખક- ઝવેરચંદ મેઘાણી
13   પ્રથમ નવલકથા - 'કરણઘેલો' લેખક- નંદશંકર મહેતા
14   પ્રથમ નવલિકા - 'ગોવાલણી' લેખક- કંચનલાલ મહેતા
15.   પ્રથમ એકાંકી - 'લોમહર્ષિણી' લેખક- બટુભાઇ ઉમરવાડિયા
16.   પ્રથમ ગઝલ - 'બોધ' કવિ- બાલશંકર કંથારિયા
17.   પ્રથમ ખંડકાવ્ય - 'વસંતવિજય' કવિ- કાન્ત
18.   પ્રથમ રૂપકકાવ્ય - 'ત્રિભુવનદીપક પ્રબંધ' કવિ- જયશેખરસૂરિ
19.   પ્રથમ ઋતુ અને શૃંગાર કાવ્ય - 'વસંત વિલાસ "અજ્ઞાત કવિનું કાવ્ય" (૧૪૫૨)
20.   પ્રથમ બારમાસી કાવ્ય - 'નેમિનાથ ચતુષ્પાદિકા' લેખક- વિનયચંદ્ર સૂરિ
21.   પ્રથમ કરુણપ્રશસ્તિ કાવ્ય - 'ફાર્બસ વિરહ' કવિ- દલપતરામ
22.   પ્રથમ કાવ્યસંગ્રહ - ગુજરાતી કાવ્યદોહન' કવિ- દલપતરામ
23.   પ્રથમ ફાગુકાવ્ય - 'સિરિથૂલિભદ્ર ફાગુ' કવિ- જિનપદ્મસૂરિ (૧૩૩૪)
24.   પ્રથમ પદ્યવાર્તા - 'હંસરાજ-વચ્છરાજ ચઉપઇ' કવિ- વિજયભદ્રસૂરિ   (૧૩૫૫)
25.   પ્રથમ નાટક - 'લક્ષ્મી' લેખક- દલપતરામ
26    પ્રથમ સામાજિક કરુણાંત નાટક - 'લલિતાદુ:ખ દર્શક' લેખક- રણછોડભાઇ ઉદયરામ દવે
27    પ્રથમ સોનેટ - 'ભણકારા' કવિ- બળવંતરાય ક. ઠાકોર
28    પ્રથમ રાસ - 'ભરતેશ્વર બાહુબલિરાસ' કવિ- શાલિભદ્રસૂરિ (૧૧૮૫)
29.    પ્રથમ મનોવિજ્ઞાન - 'ચિત્તશાસ્ત્ર' લેખક- મણિલાલ નભુભાઇ દેસાઇ
30.    પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર - મુંબઇ સમાચાર
31.    પ્રથમ ઇતિહાસ - 'ગુજરાતનો ઇતિહાસ' લેખક- પ્રાણલાલ એદલજી ડોસા
32.    પ્રથમ વાચનમાળા - હોપ વાચનમાળા
33.    પ્રથમ મુદ્રિત પુસ્તક - વિદ્યાસંગ્રહ પોથી
34.    પ્રથમ પંચાંગ - સંવત ૧૮૭૧નું ગુજરાતી પંચાંગ

Downloads PDF : 

Read More »